Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરાના કારેલીબાગમાં જીવનથી કંટાળેલ યુવતીએ આપઘાત કર્યો

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગરમાં રહેતી ૨૦ વર્ષની યુવતિએ આજે સાંજે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આનંદનગરમાં રહેતા અને પ્રિન્ટિંગ તથા બુક બાઇડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા જયંતીભાઇ પરમારની મોટી પુત્રી શુભાંગિનીએ ઘરના ઉપરના માળે આવેલા રૃમમાં ફાંસો ખાઇ લીધો હતો. ઘરના લોકો નીચે હતા અને બહાર ગયેલા દાદીએ આવીને ઉપર તપાસ કરતા શુભાંગિની ફાંસો ખાંધેલી હાલતમાં મળી આવી હતી. શુભાંગિનીએ ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યો હતો અને પછી અભ્યાસ છોડી દીધો હતો. મરતા પહેલા શુભાંગિનીએ લખેલી એક ચિઠ્ઠી પોલીસના હાથમાં આવી છે.

(6:45 pm IST)