Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ઉમરેઠમાં ફળિયામાં સમાધાન બાબતે ના કહેતા પિતા-પુત્રએ કપાળમાં પાઇપ મારતા ગુનો દાખલ

ઉમરેઠ: શહેરના ખ્રિસ્તી ફળિયામાં કેસના સમાધાન માટે ના પાડનારને પિતા-પુત્રએ માર મારતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ખ્રિસ્તી ફળિયામાં રહેતા અમિતભાઈ જગદીશભાઈ ખ્રિસ્તીએ રોહિતવાસમાં રહેતા દિનેશભાઈ મણીલાલ સોલંકીને પોતાના ઘરે બોલાવ્યો હતો અને કહ્યું હતુ કે, ઉમરેઠ કોર્ટમાં જે કેસ ચાલે છે તે કેસનું સમાધાન કરી નાંખો. જેથી દિનેશભાઈએ સમાધાન કરવાની ના પાડતાં અમિતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને નજીકમાં પડેલી લોખંડની પાઈપ લઈ આવીને કપાળ ઉપર ડાબી આંખ ઉપર મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ જગદિશભાઈએ પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(6:44 pm IST)