Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર પી.એમ.ઓ.માં ડીરેકટર પદે

રાજકોટ : કેન્દ્ર સરકારમાં ડેેપ્યુટેશન પર રહેલા ગુજરાતના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી રાજેન્દ્રકુમાર ને સરકાર દ્વારા પર્સોનલ એન્ડ ટ્રેઇનીંગ વિભાગમાંથી બદલીને વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે નિમણુંક કરવામાં આવી છે.

મુળ હિમાચલ પ્રદેશના વતની શ્રી રાજેન્દ્રકુમાર ૨૦૦૪ ની બેેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચ અને અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી તથા રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચુકયા છે. મો.૮૨૩૮૯ ૧૧૧૦૦  નવી દિલ્હી

(11:49 am IST)