Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વિશ્વ સાઇકલ દિને કેન્દ્રીય મંત્રીનો સંદેશ

સાઇકલનો મહત્તમ ઉપયોગ કરીએ : મનસુખ માંડવિયા

રાજકોટ, તા. ૩ :  ભારત સરકારના બંદર, જહાજ અને જળમાર્ગ રાજયમંત્રી શ્રી મનસુખ માંડવિયા પોતે અવારનવાર સાઇકલ ચલાવે છે. તેમણે આજે વિશ્વ સાઇકલ દિવસના સંદેશમાં લોકોને સાઇકલનો ઉપયોગ વધારવા અપીલ કરી છે.

શ્રી મનસુખ માંડવીયાએ ટવીટ કરી જણાવ્યું છે કે સારા આરોગ્ય, સ્વચ્છતા અને પ્રદુષણથી મુકત વાતાવરણ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાઇકલ છે. આપણે વધુમાં વધુ સાઇકલ ચલાવવાનો સંકલ્પ કરીએ.

(3:33 pm IST)