Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૦૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૬૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રાજેન્દ્રનગર ૦૧,ભટ્ટશેરી ૦૧ તથા નાદોદ તાલુકામાં આમલેથા ૦૧,રામપરા ૦૧, ભદામ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી, તિલકવાડા તાલુકામાં ચોર મુવાડી ૦૧, વોરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી જિલ્લામાં કુલ ૦૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૦૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૫૪ દર્દી દાખલ છે. આજે ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૧૪૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે .જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૬૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(10:15 am IST)