Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કાલથી ગાંધીનગરમાં બિન અનામત વર્ગોના આયોગના નવા કાર્યાલયનો પ્રારંભ :પાટીદાર આંદોલન બાદ કરાઈ હતી રચના

ગાંધીનગર:ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની રચના કરાઈ હતી આયોગની રચનાનાં મહિના બાદ હવે પાટનગર ગાંધીનગરમાં કાલે બુધવારે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગના નવા કાર્યાલયનો પ્રારંભ થનાર છે  કાર્યાલયનો શુભારંભ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

    ગુજરાત રાજ્યમાં બિનઅનામત વર્ગને પણ અનામતનો લાભ આપવાની માંગણી સાથે સમગ્ર રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું. જેમાં પાટીદારો ઉપરાંત બ્રાહ્મણ અને ક્ષત્રિયો સહીત અન્ય સમાજ-વર્ગો ધ્વારા ઉગ્ર આંદોલન સાથે ઓબીસીની જેમ અનામત આપવાની માંગણી કરવામાં આવી હતી. આંદોલનમાં ૧૪ જેટલા પાટીદાર યુવાનોનો ભોગ લેવાયા સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ સત્તા છોડવી પડી હતી. પરિણામે ભાજપ સરકાર દ્વારા જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પછડાટ મળતા ખાસ કરીને પાટીદારોને ખુશ કરવા વિવિધ યોજનાઓ સાથે પ્રયત્નો કરાયા હતા. તેમાં મેડીકલ અભ્યાસ માટે ફી માફીથી લઇ યુવા સ્વરોજગાર જેવી સ્કીમ લાવવામાં આવી હતી. આમ છતાં કોઈ ફલશ્રુતિ નહિ દેખાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની રચના કરવામાં આવી હતી.

   રાજ્ય સરકારે ગત તા. ઓક્ટોબર-ર૦૧૭થી ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની રચના કરી છે. આયોગના અધ્યક્ષ તરીકે હંસરાજભાઇ ગજેરા, ઉપાધ્યક્ષ તરીકે રશ્મીભાઇ પંડ્યા અને સભ્યો તરીકે નરેન્દ્રભાઇ શાહ, હસમુખભાઇ ભગદેવ તેમજ પ્રદિપસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડૉ. દિનેશ કાપડીયા આયોગના મેમ્બર સેક્રેટરી તરીકે સેવાઓ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એપ્રિલને બુધવારના રોજ બપોરે .૦૦ કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગના નવા કાર્યાલયનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવશે. સેક્ટર-૧૦માં કર્મયોગી ભવન બ્લોક-૧ના છઠ્ઠા માળે -2 વીંગમાં આયોગની કચેરી કાર્યરત કરવામાં આવી છે. તેમાં જોવાનું રહે છે કે, લોકસભાની આગામી ચૂંટણી પહેલા રાજ્ય સરકાર કેવા અને કેટલા લાભ આપે છે તેમજ બિનઅનામત વર્ગ પણ તેનો કેટલા પ્રમાણમાં લાભ લે છે.

(1:03 am IST)