Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભારત બંધ દરમિયાન વડગામમાં આંબેડકરનગરનું બોર્ડ ગાયબ કરી દેવાતા વિવાદ

દલિત સમાજમાં નારાજગી :મામલતદારને રજુઆત કરી અને પોલીસમાં નોંધાવી ફરિયાદ

ભારત બંધ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં આંબેડકર નગરનું બોર્ડ ગાયબ કરી દેવાતા વિવાદ થયો છે.બોર્ડ ગાયબ થતા દલિત સમાજમાં નારાજગી ફેલાઈ હતી વડગામના દલિત વિસ્તાર આંબેડકર નગરમાં છેલ્લા 30 વર્ષથી બોર્ડ હતુ. પરંતુ બંધ દરમ્યાન તોફાની તત્વો દ્વારા બોર્ડ ગાયબ કરી દેવાયું છે
   બોર્ડ ગાયબ કરી દેવાતા દલિત સમાજમાં નારાજગી ફેલાઈ છે. મામલે અહીંના દલિતોએ વડગામ મામલતદારને રજૂઆત કરી હતી.સાથોસાથ વડગામ પોલીસે મથકે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:10 pm IST)