Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નડિયાદમાં જવેલર્સને ત્યાંથી ગઠિયાએ 1.35 લાખની મતાની ઉઠાંતરી કરી

નડિયાદ:શહેરના સાથ બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧,૩૫,૦૦૦ની મત્તા ચોરી ગયાના બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મંદિરવાળી પોળ, સાંથ બજારમાં દિનેશભાઈ શામળભાઈ સોની રહે છે. દિનેશભાઈ સોનીની સાંથ બજારમાં દામોદર આર્ટ જ્વેલર્સની દુકાનમાં ગત તા. ૨૭-૩-૨૦૧૮ની રાત્રે કોઈ તસ્કરો દુકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ચાંદીના જુદા-જુદા દાગીના રૂા. ૧,૨૦,૦૦૦ તથા લેપટોપ રૂા. ૧૫૦૦૦નું મળી કુલ રૂા. ૧,૩૫,૦૦૦ની મત્તા ચોરી ગયા હતાં.
આ બનાવ અંગે દિનેશભાઈ શામળભાઈ સોનીની ફરિયાદ આધારે નડીઆદ પોલીસે ગુનો નોંધી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:13 pm IST)