Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વાત્રક નદીમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસના સકંજામાં

મહિસાગર: જિલ્લાની સગીર યુવતી ઉપર માલપુરના વાત્રક નદીના કોતરમાં બળાત્કાર ગુજારવાનો આરોપી કાન્તિભાઈ અરજણભાઈ ભરવાડ(રહે.રમાણા, તા.ધનસુરા)ને માલપુર પોલીસે ઝડપી લઈ મેડીકલ પરીક્ષણ અર્થે મોકલી આપ્યો હતો. ભૂવો પકડાતાં તેને જોવા માટે લોકટોળાં ઉમટયાં હતાં. જ્યારે રીમાન્ડ દરમ્યાન કળીયુગી ભૂવાએ કેટલી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે તેની વિગતો બહાર આવે તેવી સંભાવના છે. મહિસાગરના સંતરામપુરના એક પરિવારને ઘરમાં શાંતિ માટે કોઈએ તાંત્રિક વિધિનો નુસ્ખો બતાવતાં પરિવાર રમાણાના ભુવાજી કાન્તિ ભરવાડના સંપર્કમાં આવ્યા હતા અને ગત તા.રરના રોજ વાત્રક નદીના કોતરમાં વિધિના બહાને દંપતિને લઈ જઈ તેના પતિને માઝૂમ નદીમાં પાણી અર્પણ કરવા મોકલી આપ્યો હતો અને યુવતી ઉપર મરજી વિરૃદ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. આખરે ભૂવાના અસલી કરતૂતોનો પર્દાફાશ થઈ જતાં માલપુર પોલીસે ઈ.પી.કો. કલમ-૩૭૬ તથા પોક્સો એક્ટ-ક-૪, , ૧ર મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે બાળ લગ્નનો પણ આ સાથે જ પર્દાફાશ થયો હતો.

(5:09 pm IST)