Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાત વકફ બોર્ડમાં ૧૦ સભ્યોની નિમણુંક

અહેમદભાઈ પટેલ, વાંકાનેરના મોહંમદ જાવેદ પીરઝાદા, રાજકોટના સજ્જાદ હીરાની નિમણુંક

અમદાવાદ,તા.૩ : લાંબા સમાજથી ગુજરાતરાજય વકફ બોર્ડના સભ્યોની જગ્યાઓ ખાલી હતી. તેને ભરવા માટે સરકારમાંવારંવાર રજૂઆતો થઈ હતી.તેમજ આ મુદ્દો છેક ગુજરાતહાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે સોમવારે ગુજરાત સરકારે ગુજરાત રાજયના વકફ બોર્ડના ૧૦ સભ્યોની નિમણૂક કરી છે.ગુજરાત સરકારે તા.ર એપ્રિલના રોજ ગુજરાત વકફ બોર્ડમાં ખાલી જગ્યાઓ ભરવામાટે ૧૦ નવા સભ્યોની નિમણૂક કરી છે.

જેમાં કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહમદપટેલ, વાંકાનેરના ધારાસભ્યમોહંમદ જાવેદ પીરઝાદા તથાસજજાદ હીરા, અફઝલખાન પઠાણ, આમદભાઈ જત,રૂકૈયાબેન ગુલામ હુસેનવાલા,બદરૂદ્દીન હાલાણી, મીર્ઝા સાજીદહુસેન, સીરાજભાઈ માડકિયા, અસમાખાનપઠાણની નિમણૂક કરી છે.

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન વકફ બોર્ડના સભ્યોની ખાલી જગ્યાઓનોમુદ્દો ઉછળ્યો હતો. 

ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ આ નિમણુંકોને બિરદાવી નિમણૂકપામેલા તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

(12:53 pm IST)