Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વલસાડ પાસે મુંબઇ જતી ટ્રેનમાં પાસ હોલ્ડરો અને રિઝર્વેશન યાત્રિકો વચ્‍ચે ઘર્ષણ થતા ટ્રેન અટકાવીઃ મામલો પોલીસમાં

વલસાડઃ વલસાડ ટ્રેન વિવાદ ફરીથી વકર્યો હોવાની ઘટના સામે આવી છે. વલસાડથી મુંબઇ જતી ટ્રેનમાં બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીધામ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પાસ હોલ્ડરો તેમજ ટ્રેનના રિઝર્વેશન યાત્રીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટ્રેનમાં ચઢવા અને બેસવા બાબતે બબાલ થઇ હતી જેમાં યાત્રીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

વધુ મળતી માહિતી પ્રમાણે બબાલના પગલે ટ્રેનને વલસાડ સ્ટેશન નજીક અટકાવવામાં આવી હતી. જેથી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઉપરાંત આ બબાલના પગલે મુંબઇ-અમદાવાદ રેલવે વ્યવહારને પણ અસર થઇ હતી. આશરે ત્રણ જેટલી ટ્રેનોને અટકાવતા મુસાફરો અટાવાયા હતા.

(9:37 am IST)