Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

અમદાવાદમાં તબીબના ઘરને નિશાન બનાવતા તસ્‍કરોઃ ૨પ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી

અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં આવેલ દીપમાલા એપાર્ટમેન્ટમાં રહેતા અને બીએચએમએસ ડોક્ટર ગિરીશભાઇ ગોવિંદલાલ લાધાવાલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

તારીખ ૩૧મી માર્ચના રોજ ગિરીશભાઇ અને તેમનો પરિવાર મોટાભાઇની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે ઉમરેઠ ગયાે હતાે. તસ્કરો મોડી રાતે ગિરીશભાઇના ઘરના દરવાજાનો નકૂચો તોડીને તિજોરીમાં રહેલા સાડા સાત લાખ રૂપિયાની કિંમતના ૨૫ તોલા સોનાના દાગીના તેમજ ૧૨ હજાર રૂપિયા રોક્ડા લઇને ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે એફએસએલ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી હતી. તસ્કરોએ ગિરીશભાઇના મકાનમાંથી કુલ ૭.૬૭ લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

(7:54 pm IST)