Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી ૯પ ટકા પરિપૂર્ણઃ આણંદના અમુક ખેડૂતોઅે કામગીરીને કોર્ટમાં પડકારતા પેન્‍ડીંગ

ફોટોઃ gujarat freight corridor 95% kaam puru

અમદાવાદઃ રાજ્યમાં જમીન સંપાદનનું કામ ૯પ ટકા પરિપૂર્ણ થયું છે. દાદરી-પાલનપુર સેક્શન ડિસેમ્બર, 2019 સુધી શરુ થઈ જશે અને માર્ચ, 2020 સુધી અમદાવાદને પણ કનેક્ટ કરી દેવામાં આવશે.

DFCCIlના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્રેટ કોરિડોરનું કામ અત્યંત ઝડપથી થયું અને 27મી માર્ચના રોજ વેસ્ટર્ન સેક્શનમાં 100Kmphની ઝડપે ટ્રાયલ પણ કરવામાં આવ્યું. આ ટેસ્ટ હરિયાણા અને રાજસ્થાનના અટેલી અને ફુલેરા સ્ટેશન વચ્ચે કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, 1504 કિલોમીટરના વેસ્ટર્ન કોરિડોરમાં મુંબઈ-દાદરી સ્ટ્રેચ 565 કિલોમીટર ગુજરાતમાંથી પસાર થાય છે. ગુજરાતમાં જમીન સંપાદનનું કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે. આણંદના અમુક ખેડૂતોએ જમીન સંપાદનને પડકાર્યું છે અને કેસ એપેક્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

આણંદ સિવાય, અન્ય જિલ્લાઓમાં જમીન સંપાદનનું કામ સાપ્ત થયું છે. અત્યારની માલગાડીની મહત્તમ સ્પીડ 75kmph છે, જ્યારે માલગાડી માટેના અલાયદા રસ્તા પર આ ટ્રેનો 100Kmphની સ્પીડથી દોડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કચ્છને DFC સાથે જોડવા માટે પ્રશાસને ફ્રેડ કોરિડોરને રેલવે વિકાસ નિગમ લિમિટેડ(RVNL), કંડલા પોર્ટ ટ્રસ્ટ(KPT), મુંદ્રા પોર્ટ એન્ડ SEZ લિમિટેડ(MPSEX) અને ગુજરાત સરકારને DFC સાથે કનેક્ટ કરવાનો નિર્ણય લીધો છે.

DFC ચડોતર રેલવે સ્ટેશન સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે. મુન્દ્રા અને કંડલાથી આવલી માલગાડીઓ આ સ્ટેશનથી ફ્રેટ કોરિડોરમાં શિફ્ટ થઈ જશે. ચાંદેસર અને ચડોસર રેલવે સ્ટેશન પર ભાગ્યે જ પેસેન્જર ટ્રાફિક હોય છે, માટે DFCCIL દ્વાર આ સ્ટેશન્સને ટ્રાન્સિટ સ્ટેશન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

(7:53 pm IST)