Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

અમદાવાદ-વડોદરા હાઇવે ઉપર કન્ટેનર પાછળ ટ્રક ઘુસી જતા ૨ના મોત

અમદાવાદઃ અમદાવાદના નાગોરા મોટર્સમાં ડ્રાયવર  ભરતસિંહ લ-મણસિંહ ચૌહાણ (રે. મલાતજ, મહેમદાવાદ)નાઓ ગત ૨૮મી તારીખના રોજ અસલાલીથી પોતાની આઈસર ટ્રક નંબર જીજે-૦૩, એટી-૧૩૯૫માં આઈસક્રીમ ભરીને કલીનર જયેશભાઈ કનુભાઈ ત્રિવેદી (ઉ. વ. ૪૫)ની સાથે વાપી ડિલિવરી આપવા જવા નીકળ્યા હતા. વાપી ખાતે પહોંચીને આઈસક્રીમ ખાલી કરી કન્ટેનરો લઈને પરત આવવા નીકળ્યા હતા. જયાં વાપીની એજન્સીના ઓળખીતા ચંદનભાઈ લ-મણરાય (ઉ. વ. ૨૫)ને પણ અમદાવાદ આવવાનું હોય તેમને આઈસર ટ્રકમાં બેસાડી લીદ્યા હતા. વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે ટ્રક અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર આવેલા સારસા ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે આગળ જતા કન્ટેનર નંબર એચઆર-૬૧, સી-૫૮૨૦ના ચાલકે એકદમ બ્રેક મારતાં આઈસર ટ્રક કન્ટેનરની પાછળ દ્યુસી ગઈ હતી જેમાં જયેશભાઈને માથામાં તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું દ્યટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતુ.

જયારે ચંદનભાઈ અને ડ્રાયવર ભરતસિંહને ઈજાઓ થતાં તેઓને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાં ગંભીર રીતે દ્યવાયેલા ચંદનભાઈનુ અવસાન થયું હતુ. આ અંગે ભરતસિંહની ફરિયાદને આધારે કન્ટેનરના ચાલક વિરૂધ્ધ ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ દ્યરી છે.

(8:45 pm IST)