Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

EVMમાં કાળો જાદુ ન ચાલે તેવી પ્રાર્થના કેશુભાઇ - આનંદીબેનની કારકીર્દી ભાજપે ખત્મ કરીઃ રાજ બબ્બર

સુરતમાં કોંગ્રેસના પ્રચારમાં રાજ બબ્બરે ભાજપ પર કર્યા પ્રહારો

સુરત તા.ર : વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારાર્થે સુરત આવેલા ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને અભિનેતા રાજ બબ્બરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

રાજ બબ્બરે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં બેકારી, શિક્ષણના ખાનગીકરણ તેમજ પાટીદારોની સાથે થયેલ અન્યાય મુદે પ્રકાશ પાડયો હતો.

રાજ બબ્બરે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ . વડાપ્રધાન મોદી ફીલીપાઇન્સના ખેડુતો સાથે ફોટો પડાવે છે પરંતુ ગુજરાતના ખેડુતોને પોષણક્ષમ ભાવ અપાવી શકતા નથી. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને આનંદીબેન પટેલને હેરાન કરી તેમની રાજકીય કારકીર્દી ભાજપે ખત્મ કરી નાખી છે. ગુજરાતમાં દરેક વર્ગ પાટીદાર, દલિત ઓબીસી દરેકને માર મરાયો છે.

રાજ બબ્બરે વધુમાં જણાવેલ કે, યુપીમાં મશીનને કારણે ભાજપ જીત્યુ છે ત્યારે ગુજરાતમાં ઇવીએમ સાથે ચેડા ન થાય તે માટે અને ઇવીએમ પર કાળો જાદુ ન ચાલે તે માટે પ્રાર્થના કરીશ.

(4:33 pm IST)