Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

નર્મદા જિલ્લામાં સોમવારે નવા માત્ર ૨ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૯૪ એ પહોંચ્યો

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : નર્મદા જિલ્લા માં કોરોનાનું સંક્રમણ અચાનક ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં સોમવારે ફક્ત ૦૨ કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદામાં સોમવારે ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ગરુડેશ્વરના ડેકાઇ માં-૧ અને તિલકવાડાના કસુંદરમાં-૧ મળી નર્મદા જિલ્લામાં માત્ર ૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,જ્યારે- ૩ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે. હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે. આજ રોજ ૨૩ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૨૨૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૨૯૪ એ પહોચ્યો છે. આજે વધુ ૨૩૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:51 pm IST)