Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજપીપળા ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આજે રાજપીપળા ગાંધીચોક ખાતે ભાજપાના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભાજપ સંસદ મનસુખભાઇ વસાવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી.
 આ તબક્કે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે કેશુબાપાના નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયું હતું.આદરણીય કેશુભાઈ પટેલે આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. કેશુભાઈ પટેલના નિઘનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે.

(8:50 pm IST)