Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તાર સહીત અન્ય વિસ્તારમાં અગમ્ય કારણોસર બે શખ્સોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત: શહેરના સચીન જીઆઇડીસીનો યુવાન અને ઉધના વૃદ્ધએ કોઈ કારણસર માનસિક તાણ અનુભવતા હોવાથી આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું.

નવી સિવિલ ખાતે મળેલી વિગત મુજબ સચીન જીઆઇડીસીમાં ગભેણી રોડ પર રામેશ્વર કોલોનીમાં રહેતો 22 વર્ષીય સુરજ મુનીરામ નિશાદ રવિવારે રાત્રે કોઈ કારણસર ટેન્શનમાં રહેતા ગભેણી રોડ પર ઈશ્વરમોરા મંદિર નજીક ઝાડની ડાળી સાથે કપડાની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સુરજ મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકરનગરમાં વતની હતો. તે બે માસ પહેલા વતનથી સુરત આવ્યા હતા. તે કાપડ યુનિટમાં કામ કરતો હતો. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ઉધનામાં હરીનગર ત્રણમાં રહેતા 70 વર્ષીય સુખલાલભાઈ પાંડુરંગભાઈ પાટીલ ગત તારીખ 30મી સવારે અગમ્ય કારણસર ઘરમાં વાંદા મારવાની દવા પી જતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેમના બે પુત્રો છે તે નિવૃત જિંદગી ગાળતા હતા આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)