Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોની ચાર ટોળકીએ 1.32 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના ન્યૂ વીઆઈપી રોડની ગોરાણાપાર્ક સોસાયટીના બંધ મકાનના તાળા તોડીને  ચોર ટોળકી ૧.૩૨ લાખ રૃપિયાની મત્તા ચોરી ગઈ હતી.

આ અંગેની વિગત એવી છે કે ન્યૂ વીઆઈપી રોડની ગોરણાપાર્ક સોસાયટીમાં રહેતા ચેલારામ નરિયાણી શાકભાજીનો ધંધો કરે છે. 

ગત ૨૯મી તારીખે  રાત્રે પરિવાર સાથે  શિરડી દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તેમના મકાનના મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો તોડીને ચોર ટોળકી રોકડા ૨૯૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના તેમજ સિક્કા મળીને ૧.૩૨ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જે અંગે પાડોશમાં રહેતા અતુલભાઈએ મોબાઈલ ફોન કરીને વેપારીને જાણ કરી હતી. વેપારીએ પાડોશી પાસે મકાનને બીજુ તાળુ લગાડાવ્યું હતુ. અને ૩૧મી તારીખે શિરડીથી પરત આવીને વારસીયા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

(5:25 pm IST)