Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બનાસકાંઠાના લાખણીના ભકડીયાલ ગામે સામુહિક હત્યાકાંડ : માતા-પત્ની અને પુત્રની કુહાડીના ઝીકી હત્યા કરી પતિ ફરાર

ઘરનાં પુત્રએ જ તેનાં માતા, પત્ની તથા તેના બાળકની કુહાડીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા

બનાસકાંઠાના લાખણીના ભકડીયાલ ગામમાં પુત્રએ પોતાની માતા, પત્ની અને પુત્રની કુહાડીનાં ઘા મારીને હત્યા કરીને ફરાર થતા ભારે ચકચાર જાગી છે આ અંગે આગથળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ  અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠાનાં લાખણીનાં ભડકીયાલ ગામમાં એક જ પરિવારનાં ત્રણ જણની હત્યા કરવામાં આવી છે. ઘરનાં પુત્રએ જ તેનાં માતા, પત્ની તથા તેના બાળકની કુહાડીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરાઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોમાંથી 4 લોકોની હત્યા કરી દેવાઇ જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર હાલતમાં છે. તમામને ગળાના ભાગે તીક્ષ્‍ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.

(1:56 pm IST)