Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

નવસારીમાં 'મહા' વાવાઝોડાની અસર વર્તાઈ : બોરસી માછીવાડ ગામે 25થી વધુ ઘરના પતરાના શેડ ઉડ્યા

માછલી સૂકાવા માટે બનાવેલા મંડપમાં પણ પાણી વળતા સૂકી માછલીઓને નુકસાન

નવસારી: ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

નવસારી નજીક મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામે દરિયા કિનારા આસપાસ રહેતા 25થી વધુ માછીમારોના ઘરના પતરાના શેડ પવનના કારણે ઉડી ગયા છે. માછીમારો સ્વખર્ચે શેડ ઉભા કરીને રહેતા હતાં. જોકે શેડ ઉડી જતા હવે માછીમારોને ના છૂટકે સ્થળાંતર કરવું પડ્યું છે. આ તરફ દરિયા કિનારે માછલી સૂકાવા માટે બનાવેલા મંડપમાં પણ પાણી વળતા સૂકી માછલીઓને નુકસાન થયું છે. વહીવટીતંત્ર નુકસાની અંગે સાવ અજાણ જ જોવા મળ્યું છે

(12:37 pm IST)