Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

થરાદમાં તસ્કરોએ નાયબ મામલતદારના ઘરમાં 4.65 લાખના આભૂષણોનો હાથફેરો કર્યો: ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

થરાદ:શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે તસ્કરો પણ પોતાનો કસબ અજમાવી રહ્યા છે. થરાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા  અને આનંદકૃપા સોસાયટીમાં રહેતા નાયબ મામલતદારનો પરિવાર ઉંઘતો રહ્યો અને તસ્કરો રૂપિયા ૪.૬૫ લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે ઉઠતા તિજોરી ખુલ્લી જણાતા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

થરાદના આનંદનગર કૃપામાં રહેતા હરચંદભાઈ હીરાભાઈ નાઈ મુળ રહેવાસી શેરાઉવાલા પોતાના પરિવાર સાથે થરાદની આનંદકૃપા સોસાયટીમાં રહે છે અને થરાદની મામલતદાર કચેરીમાં ઈ ધરા શાખામાં ફરજ બજાવે છે. બુધવારે રાત્રે હરચંદભાઈ તથા તેમની ત્રણ દીકરી વાળુપાણી કરી ઉંઘી ગયા હતા.

 

(5:03 pm IST)