Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પ્રેમી હત્યા કરવામાં સુરતી યુવતીને જીવ ગુમાવવાની નોબત આવી: સ્વબચાવ માટે રાખેલ ચાકુથી જીવ ગયો

સુરતની ત્યકતાની રાજસ્થાન હાઇવે પર હત્યા તેના પરિચિત જ્યોતિષએ જ કરી હતી.  સુરતના બિલ્ડર પ્રેમીને પામવા માટે પાંચ વર્ષથી જ્યોતિષ પાસે વિધીઓ કરાવતી હતી. તે વિધી માટે રાજસ્થાના જતી વેળા બે વર્ષથી કામ થતું ન હોવાના મુદ્દે ત્યકતાએ ઝઘડો કરતા તેણે કારમાં સ્વબચાવા માટે રાખેલા ચાકુથી જ જ્યોતિષે તેનું ગળું કાપી નાંખ્યું હતું.

સુરતના અલથાણ વીઆઇપી રોડ પર શગુન વિલા એપાર્ટમેન્ટમાં રહેતી ૩૭ વર્ષીય ત્યકતા રચના જયરાજ મોદીની ઘાતકી હત્યા કરેલી લાશ રાજસ્થાનના ઝાલાવડબારા હાઇવે પર ચુનાબારી નજીક બુધવારે મળસ્કે મળી હતી. થોડે દુર તેની સુરત પાર્સિંગની લાલ રંગની કાર પણ અકસ્માતગ્રસ્ત મળી હતી.  

તેમાંથી મળેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ થતા રાજસ્થાના પોલીસે તેની માતા મીતાબેનને જાણ કરતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રચના મંગળવારે સવારે ૧૧ વાગ્યે ઘરેથી તેના પરિચિત જ્યોતિષ ગુરુ કૃષ્ણકાંત કે. રાવલ ઉર્ફે કનુભાઇ મહારાજ (ઉ.વ.૫૧, રહે.માળી ફળિયું, હરીપુરા, સુરત) સાથે ઉત્તરપ્રદેશના મકનપુરમાં બાબાને મળવા માટે નીકળી હતી.

(4:58 pm IST)