Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વિદેશોમાંથી ભારતનો તાજમહાલ જોવા આગ્રા આવતા પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગુજરાત આવશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધીનગર : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 31 ઓક્ટો.ના રોજ ખુલ્લી મુકેલી વિશ્વની સૌથી મોટી એવી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા હવે વિદેશોમાં વસતા પ્રવાસીઓ ઉમટી પડશે.અત્યાર સુધી પ્રવાસીઓનો ધસારો વિશ્વ વિખ્યાત એવા આગ્રાના તાજમહલ જોવા માટે થતો હતો.જે હવેથી ગુજરાતના નર્મદા કાંઠે ઉભા કરાયેલા  વિશ્વના સૌથી ઉંચા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ જણાવ્યું હતું. એક અંદાજ મુજબ રોજ 15 હજાર જેટલા લોકો સ્થળની મુલાકાત લેશે.

(8:05 pm IST)