Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની બે દિવસીય પદયાત્રા

મેવાણી તાલુકાના અનેક ગામોમાં ફરશે : ખેડૂતોનો સંપર્કઃ કરીને સરકારને જગાડવા કરશે પ્રયાસ

બનાસકાંઠાના વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વડગામ તાલુકાના ગામડાઓમાં પદયાત્રા કરી હતી.અને ખેડૂતોનો સંપર્ક કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

 ખેડૂત અગ્રણી સાગર રબારી પણ આ યાત્રામાં જોડાયા હતાં. બે દિવસ ચાલનારી આ પદયાત્રા વડગામના અનેક ગામોમાં ફરશે. અને ખેડૂતોનો સંપર્ક કરીને વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરશે. મગફળીના ટેકાના ભાવે ખરીદ બાબતે જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા.

(6:44 pm IST)