Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અમદાવાદના આનંદનગરના કૃષ્ણા ફ્લેટમાં આધેડની કરપીણ હત્યા : પત્નીને હેરાનગતીની અદાવતમાં હથિયારના ઘા ઝીકી પતાવી દીધા

કૃષાં ફ્લેટમાં રહેતા અને ધોબીની કામ કરતા સંજય ભાઈને તેમની જ પડોશમાં રહેતા યુવકએ પેટનાં ભાગે તીક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા

અમાદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. પડોશમાં રહેતા આધેડ પત્નીને હેરાનગતિ કરતો હોવાની અદાવત રાખીને હત્યાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ કૃષાં ફ્લેટ માં રહેતા અને ધોબીની કામ કરતા સંજય ભાઈને આજે સાંજના સમયે તેમની જ પડોશમાં રહેતા યુવકએ પેટનાં ભાગે તીક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંજયભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

કૃષા ફ્લેટનાં દરવાજા પાસે જ હથિયારનાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સંજય ભાઈ આરોપીની પત્નીને હેરાન કરતો હોવાની અદાવત રાખીને આ બનાવ ને અંજામ આપ્યો છે. 

જો કે પોલીસ પણએ દિશામાં તપાસ કરી રહી છે કે મૃતક કે આરોપી સામે અગાઉ કોઈ ફરિયાદ થયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના  સામે આવતી હોય છે અને તે પણ સામાન્ય બાબતે હત્યાની ઘટના બનતી હોય છે.

(12:55 am IST)