Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વલસાડથી ચાણોદ વિધિ કરવા આવી રહેલા પરીવારની ઇકો ગાડીનો વડિયા જકાતનાકા પાસે અકસ્માત થયા એકનું મોત : 5 લોકોને ઇજા

વલસાડ, બીલીમોરા ગામના એકજ પરિવારના સભ્યો ઇકો ગાડી લઈ ચાણોદ નારણબલી ની વિધિ માટે આવતા રસ્તામાં ટ્રક સાથે અકસ્માત થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વડિયા જકાતનાકા પાસે આજે વહેલી સવારે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક નું મોત નીપજ્યું છે જ્યારે અન્ય પાંચ ને ઇજાઓ થતા વડોદરા રીફર કરાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડથી ચાણોદ નર્મદા તટે નારણબલીની વિધિ માટે લાડ પરિવારના સભ્યો આવતા હતા ત્યારે સવારે લગભગ 6 વાગે વડિયા જકાત નાકા આઈટીઆઈ નજીક એક ટ્રક નં.KA.01.AJ.3969 સાથે પુરપાટ આવતી ઇકો ગાડી નં.GJ.31.AH.1992ના ચાલકે ધડાકાભેર અકસ્માત કરતા ઇકોમાં બેઠેલા સભ્યો પૈકી વિનોદભાઈ જીવલાભાઈ લાડ(65),સંદીપભાઈ વિનોદભાઈ લાડ (30),મયુરીબેન નિમેશભાઈ લાડ(27), મહેશભાઈ લાડ(55) અને ધ્વનિબેન સંદીપભાઈ લાડ (35) નાઓને ઇજાઓ થતા રાજપીપળા સિવિલ બાદ વડોદરા રીફર કરાયા હતા જ્યારે અકસ્માતમાં શાંતિલાલ દલુભાઈ લાડ(50) નાઓનું ઘટના સ્થળેજ મોત થતા આ બાબતે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:59 pm IST)