Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ગાંધીચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પર આજે ગાંધી જયંતિ નિમિત્તે અલગ અલગ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો એ સુતરાંજલી ચઢાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં સાંસદ સભ્ય મનસુખ ભાઇ વસાવા સાથે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ કિરણભાઇ વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા ,નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ,જિલ્લા કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, દિવ્યેશભાઈ વસાવા,નગર પાલિકા, તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

(10:53 pm IST)