Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિરમગામમાં ભાજપ દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન તથા તિરંગા યાત્રા કાઢવામાં આવી

સફાઈ કામદારોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન તથા તિરંગા યાત્રા કાઢી ગાંધીજીના વિચારોને યાદ કરી તેમના બતાવેલ અહિંસા અને સ્વચ્છતાના રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો હતો. સફાઈ કામદારોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

  આ કાર્યક્રમમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, વિરમગામ શહેરના પ્રમુખ નરેશભાઇ શાહ, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ દીપાબેન ઠક્કર, વિરમગામ મંડળના મહામંત્રી દેવાભાઈ ઠાકોર, મિતેશભાઈ આચાર્ય, યુવા મોરચાના પ્રમુખ  હિતેશભાઈ મુનસરા , નગરપાલિકાના પક્ષના નેતા વિજયસિંહ ચાવડા, ડો.ભાવેશ વર્મા, સંગઠનના હોદ્દેદારો અને કાઉન્સિલરો હાજર રહ્યા હતા.

(9:17 pm IST)