Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી ગાંધીજી પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી

અમદાવાદ : રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ્ જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી  માટે મોડી સાંજે પહોંચ્યા હતા.
 મુખ્યમંત્રીએ  સ્વયં ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડી નાગરિકોને  સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળા એ ઉપસ્થિત નાગરિકોનું  ભાવ સભર અભિવાદન તેમણે ઝીલ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મેયર કિરીટભાઈ પરમાર,અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ  અમિતભાઈ શાહ, પક્ષના નેતા  ભાસ્કરભાઈ ઉપસ્થિત રહ્યા હતા .

(7:29 pm IST)