Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સુરતના લીંબાયતમાં મધ્યરાત્રીએ ત્રણ શખ્સોએ યુવાનની ચપ્પુના ઘા જીકી હત્યા કરતા ચકચાર

સુરત: શહેરનાલીંબાયત ગિરિરાજનગરમાં ગુરુવારે મોડીરાત્રે મારુતિનગરમાં રહેતા યુવાનની ત્રણ અજાણ્યાઓએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. લીંબાયત પોલીસે આ બનાવમાં એકની અટકાયત કરી છે. હત્યા પ્રેમપ્રકરણમાં થયાની પોલીસને આશંકા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ નવસારીનો વતની અને સુરતમાં વિધવા માતા સંગીતાબેન સાથે મારુતિનગર પ્લોટ નં.28,29 માં રહેતો ધર્મેશ ઉર્ફે યોગેશ ઈશ્વરભાઈ બોરડે ગત મોડીરાત્રે 11.30 વાગ્યાના અરસામાં લિંબાયત ગિરિરાજનગર પ્લોટ નં.75 ની સામેથી પસાર થતો હતો ત્યારે ત્રણ અજાણ્યાએ તેને આંતરી ઝઘડો કર્યો હતો. બાદમાં તેમણે ધર્મેશ ઉર્ફે યોગેશને તિક્ષ્ણ હથીયાર વડે પેટના ભાગે, જમણા કુલાના ભાગે, ડાબી બાજુ પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત ધર્મેશ ઉર્ફે યોગેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

 

(5:12 pm IST)