Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અણીજરા નવી નગરીમાં પૈસા ન આપનાર આધેડ વિધવા મહિલાની હત્યા કરતા ચકચાર, હત્યાનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અણીજરા ગામમાં એક આધેડ મહિલાની નજીવી બાબતે હત્યા કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ રાજેશભાઈ ચંદુભાઈ વસાવા( રહે. અણીજરા નવીનગરી તા.નાદોદ )નાઓની ફરીયાદ અનુસાર તેમની માતા જીતુબેન ચંદુભાઈ વસાવા પોતે વિધવા અનુસુચિત જનજાતિના હોય અને છેલ્લા પાચેક વર્ષથી સાથે રહેતો લક્ષ્મણભાઈ ઉર્ફે મોચીયો સુરેશભાઈ પાટણવાડીયા જે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય અણીજરા ખાતે રોજગારીના રૂપિયા લાવ્યા હોય આ રૂપિયા  લક્ષમણ પાટણવાડિયા નાઓએ માગતા તેને નહી આપતા મોડા સુધી આ બાબતે ઝઘડો કરી રાતના કોઈ પણ સમયે જીતુબેન ચંદુભાઈ વસાવા (ઉ.વ.૬૧) ને કોઈ પણ રીતે ગળે ટુપો આપી હત્યા કરતા આ બાબતે રાજપીપળા પોલીસે લક્ષમણ પાટણવાડિયા વિરુદ્ધ હત્યા અને એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે.

(10:12 pm IST)