Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સમાજ કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના પુષ્પો જેવાઃ ભુપેન્દ્રભાઈ પટેલ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૧ ધરતીરત્નોનું સન્માન

(કેતન ખત્રી), અમદાવાદઃ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૧ ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવામાં આ એવોર્ડ સમારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ ૮ના અતિથિ વિશેષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન, શ્રી પી. એસ. પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે.

(3:22 pm IST)