Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ

મુખ્યમંત્રીના દિર્ધાયુસ્ય અને ગુજરાતના કલ્યાણ અર્થે કથાનુ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરમગામમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન તરીકે શિવ હોસ્પિટલના ડૉ. પ્રકાશ સારડા અને ડૉ. નયના સારડાએ લાભ લીધો હતો. બ્રાહ્મણની વાડી વિરમગામ ખાતે મુખ્યમંત્રીના દિર્ધાયુસ્ય અને ગુજરાતના  કલ્યાણ અર્થે કથાનુ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિરમગામ નગર/ તાલુકા સંયોજકો, ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:14 pm IST)