Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ફરાળી લોટમાં બેફામ ભેળસેળ : ૨II ટન ફરાળી લોટ કબ્જે લેવાયો

અમદાવાદ તા. ૨ : ફરાળી લોટમાં થતી ભેળસેળને અટકાવવા માટે રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં આરતી ગૃહઉદ્યોગ નામની ફેકટરીમાં શ્રી ફરાળી અને નીલકંઠ ફરાળીના પેકેટ જપ્ત કર્યા હતા.

અંદાજીત ૨૫૦૦ કિલો ફરાળી લોટ ઝડપી લેવામાં આવ્યો છે. હજુ પણ રાજયમાં જે જગ્યાએ ફરાળી લોટ બનાવી રહેલી ફેકટરીઓ હશે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા તેમજ તપાસની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

(3:55 pm IST)