Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મરાઠા આંદોલન ;સુરત-સોનગઢથી 60 એસટીની બસો કેન્સલ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં એસટી બસ સેવા પ્રભાવીત થઈ છે. અનામત આંદોલનના પગલે સુરત અને સોનગઢ ડેપોથી મહારાષ્ટ્ર જતી કુલ 60 જેટલી એસટી બસને રદ કરવામાં આવી છે. જેના કારણે છથી સાત હજાર જેટલા મુસાફરો અટવાયા છે. ત્યારે અનામત આંદોલનથી ગુજરાતમાં એસટી વિભાગને આશરે 6 લાખ જેટલુ નુકસાન થયું હોવાનુ અનુમાન છે.

(9:57 am IST)