Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પેઢલા મગફળી કૌભાંડ:મુખ્યમંત્રીને જાણ હોવા છતાં ભ્રષ્ટ્રાચાર રોક્યો નહીં: અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ

 

રાજકોટ : જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાંથી ખરીદ કરાયેલ મગફળીમાં કાંકરા-ધૂળ-માટીના ઢેફા સહિ મળી આવ્યા બાદ કોંગ્રેસ દ્રારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દ્રારા કોંગ્રેસ પ્રમુખ દ્રારા આકરા પ્રહારો કર્યા હતા બાદ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્રારા પણ સરકાર અને ભાજપને આડે હાથ લેવામાં આવી હતી.

  મોઢવાડીયાએ કહ્યું કે 35 કિલો મગફળીમાં 20 કિલો માટીકાંકરા જોવામાં આવે છે. તો અગાઉ 4 ગોડાઉન સળગાવી દેવાયામાં આવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રીની જાણમાં હોવા છતાં ભ્રષ્ટાચાર રોક્યો નહીં.

(1:08 am IST)