Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પોઇચા પુલ પરથી ફોર વ્હીલ મૂકી યુવાનની મોતની છલાંગ કે ગુમ થયો..? પિતાએ પોલીસમાં જાણ કરી

30 જૂને ક્રેટા ફોર વ્હીલ ગાડી લઈ ઘરેથી નીકળેલો યુવાન લાપતા થતા શોધખોળ બાદ તેની ગાડી પોઇચા પુલ પર મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામનો યુવાન ફોર વ્હીલ ગાડી લઈ નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા તેની ગાડી પોઇચા પુલ પરથી મળી આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
  પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાપતા થનાર યુવાન મયંકકુમાર અશ્વિનભાઈ પટેલ(ઉ.વ.35)તા.30 જૂન ના સ્ક્રેટા ગાડી GJ.16.CS.8808 લઈ નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા તેની ગાડી પોઇચા પુલ પરથી મળી આવી હતી પરંતુ આજે બીજા દિવસે પણ મયંકનો કોઈ પત્તો ન લાગતા તેના પિતા અશ્વિનભાઈ સોમાભાઈ પટેલે રાજપીપળા પોલીસને જાણ કરતા હાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જોકે હાલ આ ઘટના બાદ ગૂમ થનાર મયંકકુમારે પોઇચા પુલ પરથી છલાંગ લગાવી હોવાની વાત વહેતી થઈ છે ત્યારે ખરેખર આ યુવાન ગુમ થયો કે છલાંગ લગાવી છે એ બાબત તપાસ બાદ ખબર પડશે,રાજપીપળા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

(11:04 pm IST)