Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મહુધા તાલુકાના બલોલમાં પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ નહેરમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

મહુધા: તાલુકાના બલોલના જમીયાતપુરામાં રહેતી એક પરિણાતાને લગ્નના દોઢ વર્ષ થયા બાદ પણ સંતાન થતું ન હોવાથી પતિ તેમજ સાસરીયાઓએ ત્રાસ આપતાં પરિણીતાએ નહેરમાં પડતું મૂકી જિંદગી ટુંકાવી હતી. સાસરીયાઓના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ મરનારના પિતાએ મહુધા પોલીસમાં આપતાં પોલીસે દુષ્પ્રેરણા કરતાં સાસરીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના બલોલ તાબે જમીયતપુરામાં રહેતાં ઈમરાનમીયાં યુુસુબમીયાં કુરેશીની પત્નિ નજમાબાનું ગત તા.૨૭-૬-૨૦ ના રોજ કઠલાલ મુકામે દવા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતાં. જે બાદ મોડી સાંજ સુધી તેઓ પરત ના ફરતાં નજમાબાનુંના માવતર તેમજ સાસરીયાઓએ શોધખોળ હાથ ધરી હતી. જો કે નઝમાબાનુંનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ બીજા દિવસે એટલે કે તા.૨૮-૬-૨૦ ના રોજ કઠલાલ તાલુકાના ભાનેર ગામની સીમમાંથી પસાર થતી શેઢી શાખાની નહેરના પાણીમાંતી નજમાબાનુંની લાશ મળી આવી હતી. નજમાબાનુંના માવતરે આની જાણ કઠલાલ પોલીસને કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:46 pm IST)