Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઇસનપુરમાં પત્નીના મોઢામાં ડૂચો મારી કેરોસીન છાંટી પત્નીને જીવતી સળગાવી દેનાર નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

ઇસનપુર:માં પત્નીના મોંઢામાં રૃમાલનો ડૂચો મારી ને બે હાથ બાંધ્યા બાદ પતિએ કેરોસીન છાંટીને પત્નીને જીવતી સળાગાવી દીધી હતી એટલું જ પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો. જો કે મકાનમાંથી ધૂમાડા આવતાં આ ઘટના બહાર આવી હતી. ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે શકિતનગરમાં ક્રિષ્નાબહેન દેસાઇના મકાનમાં રાજસ્થાનના વતની ગોવિંદકુમાર ભગોરા અને તેમની પત્ની રમાકુમારી બે મહિના પહેલા ભાડે રહેવા આવ્યા હતા, છૂટક મજુરી કરતા દંપતિના પરિવારમાં બીજુ કોઇ ન હતું. આજે બપોરે ૧ વાગે પતિ ગોવિંદકુમાર ભગોરાએ પોતાની પત્નીના મોંઢામાં રૃમાલનો ડૂચો મારીને રૃમાલ પાછળ બાંધી દીધો હતો અને બંન્ને હાથ પણ દોરડાથી પાછળના ભાગે બાંધી દીધા બાદ કેરોસીન છાંટીને સળાગાવી દીધા બાદ પતિ મકાન બંધ કરીને નાસી ગયો હતો. બંધ મકાનમાંથી ધૂમાડા નીકળતાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરીને હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઇસનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. પોલીસે ઉપરના માળે જઇને તપાસ કરીને રૃમનો દરવાજો તોડયો હતો અને અંદર પ્રવેશીને તપાસ કરતા મિહિલા સળગ જવાથી મોતને ભેટી હતી.

 

(4:23 pm IST)