Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુજરાત રાજય વકફ બોર્ડના ચેરમેન પદે શેખ સજજાદભાઇ હીરાની નિમણુક

 રાજકોટઃ ગુજરાત રાજય સરકાર દ્વારા દાઉદી વ્હોરા સમાજના અગ્રણી શેખ સજજાદભાઇ હીરાની ગુજરાત રાજય વકફ  બોર્ડના ચેરમેન પદે નિમણુક કરવામાં આવેલ છે. શેખ સજજાદભાઇ રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અંજુમને હાતીમા કમીટીમાં તથા અન્ય કમીટીઓમાં સેવા આપી રહયા છે. તેમજ ભાજપની કારોબારી કમીટીના સભ્ય પદે છે. તેઓએ ગઇકાલે ગુજરાત રાજયના વકફ બોર્ડ ગાંધીનગર ખાતે આવેલ ઓફિસમા ચાર્જ સંભાળેલ હતો ત્યારે પુષ્પગુરછં તથા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ હતુ.  તેમ શેખ યુસુફભાઇ જોહર કાર્ડસવાલાએ જણાવ્યું છે.

(2:43 pm IST)