Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાંદેરમાં રાજયનું સૌથી મોટુ માસ કવોરનટાઇન કરાયું છે

રાંદેરમાં ૫૦ હજારથી વધુ કવોરન્ટાઇન હેઠળ : રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તાર માસ કવોરનટાઇન હેઠળ મુકાયો

અમદાવાદ,તા. : ગુજરાતમાં સૌથી મોટુ માસ કવોરન્ટાઇનની ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે. બે દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને તંત્ર દ્વારા હવે અગમચેતીના ભાગરરૂપે સમગ્ર રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું મનાય છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેડથી બંધ કરી ૧૬ હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ ૫૦ હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં અને તંત્રની નજર હેઠળ છે.

        બીજીબાજુ, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે પારૂલબેન સુનિલભાઈ રાઠોડ (.. ૩૬, રહે. ફુલપાડા, અશ્વિનિકુમાર) દાખલ કરાયા હતા. કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. દરમિયાન પારૂલબેનનું મોત નિપજ્યું છે. હાલ કોરોનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના રાંદેરના ૬૭ વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું.

         આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત ૫ાંચ જણાને તો ઓલરેડી ક્વોરન્ટીન કરી દીધા છે. પરંતુુ બીજીબાજજુ, વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. ત્યારબાદ રાંદર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવાયો છે. રાંદેરમાં મળેલા પોઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે.

         સાથે એક કિલોમીટરના વિસ્તારમાં બેરીકેડ પણ મુકી દેવામાં આવ્યા છે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવ્યો છે. માસ ક્વોરન્ટીનના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસ-ઈન્ફેકશનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગ ફાયરે મળીને હાથ ધરી હતી. જેમાં ૧૨ હોસ્પિટલ, ૨૩ મસ્જિદ, ૨૨ મેઈન રોડ, ૯૬૯ પબ્લીક જગ્યા, ૮૨ ઇન્ટરનલ રોડ પણ ડિસ-ઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. માત્ર રાંદેર ટાઉન વિસ્તાર માટે ૫૫ ટીમ સર્વેલન્સ કરી રહી છે. રાંદરે વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૬૭૮૫ ઘરોના સર્વે કરવામાં આવ્યા છે. હાલ રાંદેર વિસ્તારના ૫૪૦૦૩ લોકોને માસ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તંત્ર હાલ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠુ છે.

(8:51 pm IST)