Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

માંડલના ખોડીયાર માતાજી મંદિરે આઠમનો ભવ્ય લોકમેળો ભરાયો

ખોડીયાર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ દર્શન અને મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ પંથકમાં આવેલા માંડલના ખોડીયાર માતાજી મંદિરે આઠમનો ભવ્ય લોકમેળો ભરાયો હતો. ખોડીયાર માતાજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોનુ ઘોડાપૂર ઉમટયુ હતું અને સાથે નવચંડી યજ્ઞ દર્શનનો પણ લાભ લીધો હતો.

 માંડલના ખોડીયાર માતાજી મંદિરે આઠમના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. મોટી સંખ્યામાં લોકોએ નાના મોટા ચગડોળમા બેસવાની સાથે ખાણીપીણીની મઝા માણી હતી. લોકમેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

(6:51 pm IST)