Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

વિરમગામ શહેરના રાજમાર્ગો પર નીકળી ઇષ્ટદેવ માંધાતા મહારાજની ભવ્ય શોભાયાત્રા

વિરમગામ યુવા માંઘાતા ગૃપ દ્વારા માંધાતા મહારાજની શોભાયાત્રાનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના રાજમાર્ગો પર રવિવારે ઇષ્ટદેવ માંધાતા મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ યુવા માંઘાતા ગૃપ  દ્વારા  પૃથ્વી સમ્રાટ શ્રી માંઘાતા મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. વિરમગામ સમસ્ત કોળી પટેલ સમાજના ઇષ્ટદેવ માંધાતા મહારાજ ની ભવ્ય શોભાયાત્રામા જેમા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

(5:34 pm IST)