Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરતમાં ફરીવાર લુખ્ખાઓનો આતંક : રાહદારીને આંતરીને જાહેરમાં ચપ્પુ મારી મોબાઈલની લૂંટ

રાહદારીએ મોબાઈલ ફોન આપવાની ના પડતા લુખ્ખાઓએ ચપ્પુના ઘા માર્યા

સુરતમાં દિન પ્રતિદિન લૂખાતત્વોનો આંતક વધી રહ્યો છે.કતારગામ વિસ્તારમાં એક રાહદારીને આંતરીને તેના મોબાઈલ ફોન માટે ચપ્પુ મારે છે,  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
  લીંબાયત વિસ્તારમાં ચાઇનીઝની લારી વાળાને લૂખાતત્વો દ્વારા માર મારવામાં આવતાં તેનું મોત થયાની ઘટનાને 24 કલાક નથી થયા તેવામાં કતારગામ વિસ્તારમાં લુખ્ખાતત્વના આતંકની ઘટના સામે આવી છે. અહીંયા પસાર થતા રાહદારી પાસે મોબાઈલ ફોન લૂખા તત્વો દ્વારા માંગવામાં આવે છે. જોકે રાહદારીએ મોબાઈલ ફોન આપવાની ના પડતા આ લૂખા તત્વો દ્વારા રાહદારીને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા

 . આ ઘટના જોનારા લોકોને લૂખાતત્વો દ્વારા ધાકધમકી પણ આપવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી, પોલીસે હાલમાં સીસીટીવીના આધારે આ મામલે ગુનો નોંધી આરોપીની તપાસ શરુ કરી છે.

(10:19 pm IST)