Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

મંત્રીઓના પી.એ.-પી.એસ.ની નિમણૂકો

નીતિન પટેલને ત્યાં વી. પી.પંડયા-દશરથભાઇ અને ભુપેન્દ્રસિંહને ત્યાં ડોડિયા-મહેતા યથાવતઃ વાય. પી. જોષી સૌરભ પટેલના પી.એસ.: વાસણભાઇને ત્યાં વી. કે. જોષી

રાજકોટ તા. રઃ.. રાજય સરકારે નવા- જુના મંત્રીશ્રીઓને અંગત મદદનીશ અને અંગત સચિવોની નિમણુકનો દોર શરૂ કર્યો છે. મુખ્યમંત્રીના સ્ટાફમાં કોઇ ખાસ ફેરફાર નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પી.એસ. તરીકે વિરેન્દ્ર પંડયા અને પી. એ. તરીકે  દશરથભાઇ પટેલ યથાવત રહ્યા છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બે અંગત સચિવ શ્રી ડી. જી. મહેતા અને શ્રી ડોડીયા યથાવત રહ્યા છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારને ત્યાં અધિક સચિવ આર. ઇ. જોષી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની કચેરીમાં મનોજ પટેલ, ગણપત  વસાવાને ત્યાં મેહુલ પંડયા અને શ્રી ડામોર તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલને ત્યાં વાય. પી. જોષીની નિમણુક થયાનું જાણવા મળે છે. આરોગ્ય રાજય મંત્રી કુમાર કાનાણીના કાર્યાલયમાં ડે. કલેકટર જે. વી. વદરની અને સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીરના કાર્યાલયમાં વી. કે. જોષીની નિમણુંક થઇ છે.

(12:36 pm IST)