Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વડતાલ જવા નીકળેલા મુંબઈના ચાર મિત્રોને અકસ્માત ;એકનું મોત;ત્રણને ઇજા

ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે પર સાંસરોદ ગામ પાસે ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો

વડોદરા :વડતાલ જવા મુંબઈથી નીકળેલા ચાર મિત્રોની કારને અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું છે જયારે અન્ય ત્રણને ઇજા પહોંચી છે વિગતો મુજબ ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે ભરૂચ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે પર સંસરોદ ગામ પાસે ઉભેલી ટ્રક સાથે કાર અથડાતાં અકસ્માત સર્જાયેલ જેમાં મુંબઈના ચાર મિત્રોને ઈજા થતા તેઓને સારવાર માટે ભરૂચ ખસેડાયા હતા જ્યાં એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

  મળતી વિગતો મુજબ મુંબઈના કાનજીભાઈ ડોબરીયા તેમની કારમાં મિત્રો મહાદેવ પટેલ,નોંધા પટેલ અને અજમલ ખીમજી પટેલ સાથે પૂનમ ભરવા માટે વડતાલ જવા નીકળ્યા હતા.તે દરમ્યાન ભરૂચના પાલેજથી આગળ જતાં સંસરોદના પેટ્રોલપંપ પાસે રોડ પર ઉભેલી ટ્રક ની પાછળ ધડાકાભેર કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કાનજીભાઈ ડોબરીયા સહિત અન્ય ત્રણને ઈજાઓ થતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં કાનજીભાઈ ડોબરીયાની ઈજા ગંભીર હોવાનું ફરજ પરના તબીબો એ જણાવ્યું હતું અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

(11:52 pm IST)