Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય : ફ્લાવર શો પણ રદ કરાયો :

25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્નિવલ :કોરોનાની પરિસ્થિતિને લઇને નહીં યોજાય : ગત વર્ષે પણ યોજાયા નહતા કાર્યક્રમો:1 થી 14 જાન્યુ. યોજાય છે ફ્લાવર શો: AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. અમદાવાદમાં દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણના કારણે યોજાશે નહિ

કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવા સુચના અપાઇ છે. તેવામાં અમદાવાદ શહેરમાં અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે યોજાતો કાંકરિયા કાર્નિવલ મહામારી વચ્ચે યોજાશે નહીં.

(6:26 pm IST)