Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

રાજ્ય સરકારનું મંત્રીમંડળ બીમારીના ભરડામાં :સાત મંત્રીઓ લઇ રહ્યાં છે સારવાર

નીતિભાઈ પટેલને ઘૂંટણ ,પ્રદીપસિંહ જાડેજાને મોઢાનું કેન્સર ,દિલીપ ઠાકોરને મોતિયાનું ઓપરેશન ,સૌરભ પટેલને ખભાની તકલીફ ,પુરુસોત્તમ સોલંકીને ડાયાબીટીશની તકલીફ

 

અમદાવાદ : રાજ્ય સરકારનું મંત્રીમંડળ હાલ બીમારીના ભરડામાં છે. રાજ્ય સરકારના 7 જેટલા મંત્રીઓ બીમારીના કારણે રજા પર ગયા છે. મુંબઈની બ્રીચકેંડી હોસ્પિટલમાં ઘૂંટણની સારવાર કરાવી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બે  સપ્તાહના આરામ બાદ પાછા ફરશે.

 ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  પણ મોઢાના કેન્સરની સારવાર કરાવી હોવાથી તેઓ પણ 2 સપ્તાહ જેટલો આરામ કરશે. જયારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને થોડા સમયથી આંખની તકલીફ હોવાથી, તેઓ પણ મોતિયાનું ઓપરેશન કરાવી શકે છે.

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને ખભાની તકલીફ થતા તેઓ પણ ઓપરેશન કરાવી શકે છે. જયારે રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકીને ડાયાબિટીસની તકલીફ હોવાથી તેઓ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા રહેતા હોય છે

(12:09 am IST)