Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો: એકાએક માવઠું થતા બે મકાનો ધરાશાયી થયા

નડિયાદ:દિવાળી પર્વ દરમ્યાન મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ચરોતરવાસીઓમાં તહેવારનો ઉત્સાહ ઓસરાયો હતો. ખેડા જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાંક સ્થળોેએ મકાન ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે. યાત્રાધામ ડાકોરમાં બુધવારે સાંજં અચાનક બે મકાનો ધરાશાયી થયા હતા. જોકે બનાવમાં કોઇ જાનહાની થઇ હતી

આ જર્જરીત મકાનોને ઉતારવા માટેની નોટીસો નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.  પરંતુ આજદિન સુધી તેના માટેની કોઇ કાર્યવાહી ન થતા ચીફ ઓફિસરની કાર્યવાહી સામે ચર્ચા ઉઠી છે.

(5:34 pm IST)